Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટ્ય ધામ ખેડામાં આમ્રોત્સવ :50 મણ કેરીનો મનોરથ ધરાવાયો

કેરીની જુદી જુદી લગભગ 10 જેટલી વેરાયટીઓથી સજાવટ કરવામાં આવી

શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટ્ય ધામ ખેડામાં આમ્રોત્સવ કરવામાં આવ્યો. જેમાં કુલ 50 મણ કેરીનો મનોરથ ધરાવાયો. ખેડા પ્રાગટ્ય ધામ ખાતે ભગવાનના સિંહાસનને કેરીથી સજાવવામાં આવ્યું હતું. કેરીની જુદી જુદી લગભગ 10 જેટલી વેરાયટીઓથી સજાવટ કરવામાં આવી હતી.

કેરીના મધુર રસથી ભગવાન નિલકંઠ વર્ણીનો અભિષેક કર્યો હતો. ભક્તિભાવથી સંતો તેમજ ભક્તોએ નિલકંઠ મહાપ્રભુને આમ્રરસથી અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. આમ્રરસ ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવ્યો હતો. ભક્તોએ ભગવાન સમક્ષ આનંદ ઉત્સવ કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી

(12:45 am IST)