Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અમદાવાદ સહીત મહાનગરોમાં કોરોનાએ સ્પીડ પકડી :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 184 નવા કેસ નોંધાયા:વધુ 112 દર્દીઓ સાજા થયા :આજે એક દર્દીનું મૃત્યુ :રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,14.775 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 43.217 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 991 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 184 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 112 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.14.775 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું  છે,અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે ,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.945 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.03 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 43.217  લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.06,33,665 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 991 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે,અને અને 990 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 184 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 91 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 18 કેસ, સુરત કોર્પોરેશનમાં 16 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 10 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 7 કેસ, કચ્છ, સુરત અને વલસાડમાં 4-4 કેસ, અમદાવાદ, ભરૂચ,ગાંધીનગર, જામનગર અને રાજકોટમાં 3-3 કેસ, આણંદ , ગીર સોમનાથ,જામનગર કોર્પોરેશન, ખેડા,મોરબી અને નવસારીમાં 2-2 કેસ, ભાવનગર કોર્પોરેશન,મહેસાણા,અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો છે

(8:12 pm IST)