Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

દામનગર સ્વયંભુ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવને રાષ્ટ્રીય ત્રિરંગાનો ઝાંઝરમાન સાફાનો શણગાર

દામનગર : શહેરમાં સ્વયંભુ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ૭૬ માં સ્વાતંત્ર્ય દીને શિવાલયમાં પણ પુરા અદબથી શણગાર કરાયો શ્રધ્ધાળુ ભાવિકો નમ્રતાબેન - મધુ બેન - મીતા બેન - હિતીશા બેન -હીનાલી બેન -આસ્થા બેન - રીમ્પલ બેન - ડોલી બેન, (ગ્રુપ) દ્વારા ૭૬ માં રાષ્ટ્રીય પર્વ એ શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે  દાદાને ત્રિરંગા સાફાથી ઝાંઝરમાન શણગાર કરાયો હતો શિવલયમાં આવતા દર્શનાર્થીઓને સ્વાતંત્ર્ય પર્વની પ્રતીતિ કરાવતી ઝાંખીના દિવસ ભર દર્શન પૂજન અર્ચન ભાવિકો એ કર્યા હતા

(12:52 am IST)