Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી નડિયાદમાં શખ્સે આપઘાત કરી જીવનલીલા સંકેલી લેતા ચકચાર

નડિયાદ:શહેરમાં એક પાંત્રીસ વર્ષીય યુવકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનુ બહાર આવ્યુ છે.આ બનાવ અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર નડિયાદ શહેરના નવરંગ ટાઉનશીપમાં રહેતા કલ્પેશકુમાર મકવાણા ઉં.૩૫એ વ્યાજખોરોના ત્રાસથી આજે ગળેફાંસો ખાઇ જીવન ટુકાવ્યુ છે.આજે સવારે કલ્પેશકુમાર પોતાના ઘરે હુકમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસોખાઇ લીધો હતો.આ બનાવની જાણ પરિવારજનોને થતા તેઓ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ ટીમ બનાવ સ્થળે પહોચી હતી.આ અંગે પોલીસનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે આ બનાવ અંગે તપાસ શરૂ હોવાનુ જણાવ્યુ હતુ.જો કે કલ્પેશકુમારે લખેલ કાપલી અંગેની પણ તપાસ ચાલી રહી હોવાનુ જણાવ્યુ હતુ.વળી તેણે કોની પાસેથી કેટલા પૈસા ઉછીના કે વ્યાજે લીધા છે તે તપાસ કર્યા બાદ સાચી હકીકત સામે આવશે તેમ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

(5:09 pm IST)