Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં ડેડીયાપાડાનાં બે યુવાનોની નર્મદા જિલ્લા બોર્ડમાં પસંદગી

જિલ્લા ચેરમેન તરીકે સર્જન વસાવા, તેમજ વાઇસ ચેરમેન તરીકે જયદીપ વસાવાની નિમણુક થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનાં સંસ્થાપક ડૉ.ટી.એમ. ઓનકારનાં નેતૃત્ત્વ હેઠળ આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડની રચના કરવામાં આવી છે, ત્યારે "માનવ સેવા રાષ્ટ્ર ની સેવા" નાં સિધ્ધાંત સાથે તેમજ માનવ જાગૃતિ અને માનવ સેવાનાં કામો કરીને નાત-જાત કે ધર્મનાં ભેદભાવ વગર સમાજ સેવાનું કાર્ય કરશે, અને જ્યાં પણ સામાન્ય માણસ સાથે કોઈ પણ જાતનો ભેદભાવ કે અન્યાય થશે ત્યાં તેઓ અવાજ ઉઠાવશે,  જેમાં ડેડીયાપાડાનાં બે યુવાનોની નર્મદા જિલ્લા બોર્ડમાં પસંદગી કરવામાં આવી છે,નર્મદા જિલ્લા ચેરમેન તરીકે સર્જન એસ.વસાવા, તેમજ નર્મદા જિલ્લા વાઇસ ચેરમેન તરીકે જયદીપ એચ.વસાવાની નિમણુક કરવામાં આવી છે.ત્યારે આ બાબત નર્મદા જિલ્લા માટે ગૌરવ ની કહી શકાય.

(12:03 pm IST)