Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

દશેરા પર્વે ફોર વ્હીલ અને ટુ-વ્હીલરના બુકિંગમાં 15 ટકા કરતા વધુનો ઉછાળો

કોરોના બાદ ઓટોમોબાઈલ સેક્ટરમાં બુકિંગમાં વધારો થતા ડિલરોમાં ખુશીની લાગણી ફરી

અમદાવાદ :  ગત વર્ષ કરતા ચાલુ વર્ષે દશેરાના દિવસે ફોર વ્હીલ અને ટુ-વ્હીલરના બુકિંગમાં 15 ટકા કરતા વધુનો ઉછાળો આવ્યો છે. ડિમાન્ડ વધારે છે તેની સામે સપ્લાય ઓછી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસમાન થઇ ગયા છતાં ગાડીઓના વેચાણમાં કોઇ ફરક પડયો નથી. ઉલ્ટાનું કારના વેચાણમાં ઉછાળો આવ્યો છે. જો કે , ડીઝલ કરતા પેટ્રોલ કારનું વેચાણ વધારે જોવા મળી રહ્યું છે. કોરોના બાદ ઓટોમોબાઈલ સેક્ટરમાં બુકિંગમાં વધારો થતા ડિલરોમાં ખુશીની લાગણી ફરી વળી છે

(1:08 pm IST)