Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

નમસ્તે સદા વત્સલે માતૃભૂમે : આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યની સ્થાપના ૧૯રપમાં વિજયા દશમીના દિવસે નાગપુરમાં મોહિતેવાડ મેદાન ખાતે થયેલ. આજે પુરા ભારતમાં ૯પ% જિલ્લાઓમાં સંદ્યનું કામ ચાલુ છે. દેશમાં ૩૭,૧૯૦ સ્થાનો પર પ૮,૯૬૭ નિત્ય શાખા, ૧૬,૪૦પ સાપ્તાહીક મિલન અને ૭,૯૭૬ સંઘ મંડળી કાર્યરત છે. આમ, કુલ ૮૩,૩૪૮ સ્થાનો પર સંઘની ગતીવિધી ચાલે છે. શાખા દ્વારા સંઘના ૧.પ૦ લાખ સ્વયંસેવકો સેવાકાર્યમાં લાગ્યા છે. ગમે તેવી આફતોમાં સંદ્યનું કામ નિરંતર વધેલ છે.

૧. સ્થાપકઃ ડો. કેશવરાવ બલીરામ હેડગેવારઃ.....પ્રથમ સંઘને જાણો..... ઓળખવાનો પ્રયત્ન કરો... પછી બોલો.  સંગઠન જ રાષ્ટ્રની પ્રમુખ શકિત હોય છે. સંસારમાં કોઈપણ સમસ્યાનો ઉપાય સંગઠીત શકિતના આધાર પર જ રહેલો છે.  શકિતહિન રાષ્ટ્રની આકાંક્ષા કયારેય સફળ થઈ શકતી નથી. પરંતુ સામર્થ્યશાળી રાષ્ટ્ર કોઈપણ કાર્ય જયારે ઈચ્છે છે ત્યારે પોતાની ઈચ્છા અનુસાર કરી શકે છે.

એજ ઉકિતને સાકાર કરવા ડો. હેડગેવારજીએ પથ્થરોમાં પ્રાણ પૂર્યા. માટીમાંથી માનવો પેદા કર્યા. રાષ્ટ્રના ઉત્થાન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અનુપમ સંગઠન ઉભુ કર્યું. ૧૯રપમાં વિજયા દશમીના દિવસે નાગપુરમાં અનેક  વિરોધો અવરોધોને પાર કરીને એક બીજમાંથી વટવૃક્ષ સમાન વિસ્તર્યો.

સ્વામી વિવેકાનંદના સ્વપ્નને અક્ષસરસહ પૂર્ણ કરી હજારો સ્વયંસેવકોની દેશ સેવા માટે ફોજ ઉભી કરીને તપસ્વી ડો. હેડગેવારજી માતૃભુમિની પરમવૈભવની પ્રાર્થના કરતા ગયા અને અનેકને જોડતા ગયા.

ર. દ્વિતીય સરસંઘચાલકજી પરમ પૂ. શ્રી માધવરાવ સદાશિવરાવ : તેઓ નાગપુર બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં બે વર્ષ અધ્યાપક કાર્ય કરી વિધાર્થી પ્રિય થયા. વિધાર્થી લાડથી 'ગુરૂજી' કહેતા ત્યારથી 'ગુરૂજી'થી પ્રખ્યાત થયા. આજે સંપૂર્ણ દેશના લાખો સ્વયંસેવકો હિત ચિંતકોમાં 'ગુરૂજી' તરીકે પ્રસિધ્ધ થયા. ૩૩ વર્ષના આ પ્રદીર્દ્ય કાલખંડમાં તેમણે પ્રતિવર્ષ બે વાર સંપૂર્ણ દેશનો પ્રવાસ કર્યો, સ્વહસ્તે હજારો પત્રો લખ્યા, હજારો લોકોનો વ્યકિતગત સંપર્ક કર્યો અને દેશભરના હજારો કાર્યકર્તા પરિવારોના આદરણીય સભ્ય બની રહ્યા. તેમના આ લાંબા કાર્યકાળ દરમિયાન સંઘ અને દેશ બંને અનેક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાંથી પસાર થયા.

દેશની દ્રષ્ટિએ દેશ વિભાજન, ચીન ભારત યુધ્ધ, પાકિસ્તાન સાથેનાં બન્નો યુધ્દ્યો જેવી અનેક ઘટનાઓ તેમના કાર્યકાળમાં બની. આ બધા મહત્વપૂર્ણ પ્રસંગોએ તેમણે સ્વયંસેવકો તથા રાષ્ટ્રને શોર્ય, ધૈર્ય અને સર્વસ્વાર્પણની પ્રેરણા આપી.

૩. સંઘના તૃતીય સરસંઘચાલકશ્રી પૂ. મધુકર દત્ત્।ાત્રેય દેવરસ (બાળાસાહેબ દેવરસ) : કટોકટી વિરૂધ્દ્યનો સફળ સંદ્યર્ષ અને પ્રાકૃતિક મૂશ્કેલીઓના સમયે સમાજસેવાના માધ્યમથી આ સિધ્ધ થયેલ. વિશ્વના મહાન સંગઠનના સરસંદ્યચાલક આવો મોટો ઉચ્ચ હોદ્દો ધરાવતા પોતાની નાદુરસ્ત તબીયત થતા પોતાનો હોદ્દો વિના સંકોચે તરતજ બીજાને સોપી દીધો આમ, સંદ્યના 'મે નહીં તુ'' ના આદર્શ સંસ્કારોની પ્રેરણા આખા વિશ્વને આપી હતી.' અગર અશ્પૃશ્યતા જો પાપની નથી તો દુનીયામાં બીજુ કોઈ પાપ નથી.'

૪. સંઘના ચતુર્થ સરસંઘચાલક શ્રી પ્રો. રાજેન્દ્રસિંહ :અલ્હાબાદવિશ્વ વિદ્યાલયમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર અને પરમાણુ ભૈાતિકીના સુવિખ્યાત વિદ્વાન હતા. અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ શાંત અને સૌમ્ય અને સંતુલનનો ઋષિતુલ્ય વ્યવહાર તેમની પોતાની સ્વભાવગત વિશિષ્ટતા હતી. સમગ્ર દેશમાં સંઘકાર્યના વિસ્તારમાં તેમણે દધીચિ ધર્મનું પાલન કર્યું જેની અસર તેમના સ્વાસ્થ્ય ઉપર થવાનીહતી તે થઈ અને જેમનો આગ્રહ હતો શાખાજ સંસ્કાર ઘડતરનું માધ્યમ છે.

પ. પાંચમાં સરસંઘચાલક કુપ. સી. સુદર્શનજી : જેઓનો જન્મ ૧૮ જૂન ૧૯૩૧ના રોજ મધ્ય પ્રદેશના રાયપુર શહેરમાં થયો.  નાનપણથી જ મેઘાવી એવા મા. સુદર્શનજી ટેલિ કોમ્યુનિકેશનમાં એન્જીનીયરીંગની પદ્દવી ધરાવે છે. ભર યુવાન વયે ર૩માં વર્ષે, ૧૯પ૪ની સાલમાં તેઓ સંદ્યના પ્રચારક તરીકે નીકળ્યા. સુદર્શનજી સંઘકાર્યના વિસ્તાર માટે સતત પ્રવાસ કરતા રહ્યા.

૬. છઠ્ઠા સરસંઘચાલક મા. મોહનજી ભાગવતઃ તેમને જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૯પ૦ના દિવસે મહારાષ્ટ્રના વિદર્ભના ચંદ્રપુર ગામમાં થયો. તેમના પિતા મા. મધુકરરાવજી ભાગવત ૧૯૪૪થી ૧૯પ૧ સુધી ગુજરાતમાં સંઘના પ્રાંત પ્રચારક હતા. તેમની મિષ્ટ વાણી અને મિષ્ટ વ્યવહારે આ છ વર્ષના ગાળામાં ગુજરાતનાં લગભગ ૧૧પ ગામોમાં સંઘકાર્યની શાખાઓની જાળ પાથરી હતી.મા. મોહનરાવ ભાગવતે પંજાબરાવ કૃષિ વિદ્યાપીઠમાંથી વેટરનરી ડોકટરની ઉપાધિ મેળવેલ છે.

વર્ષ ર૦૦૦માં સંદ્યના સરકાર્યવાહ મા. શેષાદ્રિજીએ શારીરિક નાદુરસ્તીને કારણે નિવૃત્ત્િ। લેતાં મોહનજીને અખિલ ભારતીય સરકાર્યવાહની જવાબદારી સોંપાઈ જે તેમણે ર૦૦૯ સુધી સુપેરે નિભાવી. સરસંઘચાલકની અનેરી પરંપરા (૧૯રપ થી ર૦ર૦) જળવાઈ રહી છે. 

આમ ૧૯રપ થી ર૦ર૧ સુધીમાં સંદ્યે વિવિધ ક્ષેત્રમાં સંઘના સ્વયંસેવક દ્વારા અભુતપૂર્વ કામ શરૂ કરેલ છે જેવી કે રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પક્ષ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, વિદ્યાભારતી, ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝર, પંડિત દિનદયાલ શોધ સંસ્થાન, સ્વદેશી જાગરણ મંચ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ભારતીય વિકાસ પરીષદ, વિશ્વ સંવાદ કેન્દ્ર, વિશ્વ વિભાગ, વિશ્વ હિન્દુ પરીષદ, રાષ્ટ્રીય સેવીકા સમિતિ, સંસ્કાર ભારતી, પૂર્વ સૈનિક સેવા પરીષદ, ભારતીય વિચાર મંચ, અખિલ ભારતીય સાહીત્ય પરીષદ, સહકાર ભરતી, વનવાસી કલ્યાણ પરીષદ, ભારતીય કિશાન સંઘ, રાષ્ટ્રીય શીખ સંગત, ભારતીય શિક્ષણ મંડળ, ભારતીય મજદુર સંઘ, ભારતીય અધિવકતા પરીષદ, લઘુઉદ્યોગ ભારતી, સંસ્કૃત ભારતી ઉપરોકત અનેક પરિવારક્ષેત્રોમાં નવા નવા લોકોને જોડી દેશભકિતના સંસ્કારમાં પ્રવૃતમય કરેલ છે અને આજે વિશ્વમાં પોતાની સંસ્થાનો, તાકાતનો પરચો દેખાડેલ છે.

 જયેશ સંઘાણી,

મો. ૯૪ર૮ર ૦૦પર૦

(3:41 pm IST)