Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

પ્રાણીઓ પણ તેમના પર કરવામાં આવેલા શારીરિક અને માનસિક અત્યાર સમજી શકે: ગુજરાત હાઈકોર્ટ

કુલ 22 જેટલી ગાય અને વાછરડાને ગોંધીને લઈ જવાના કેસમાં આરોપીની જામીન ફગાવ્યા

અમદાવાદ : દાહોદથી ગોધરા જવાના રસ્તા પર વાહન ચેકીંગ દરમિયન ગાડીમાં કુલ 22 જેટલી ગાય અને વાછરડાને ગોંધીને લઈ જવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીની જામીન અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે માણસોની જેમ પ્રાણીઓ પણ તેમના પર કરવામાં આવેલા શારીરિક અને માનસિક અત્યાર સમજી શકે છે.

ગુજરાત હાઈકોર્ટે આરોપી અક્રમ પોસ્તીની જામીન અરજીની સુનાવણી દરમિયાન આ પ્રકારનું અવલોકન કર્યું હતું. કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દેવાનું વલણ દાખવતા આરોપી તરફથી જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી છે. 1લી માર્ચ 2020ના રોજ પેટ્રોલિંગ દરમીયાન પોલીસે જ્યારે ગાડી ચાલક અરજદારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ગાડી રોકી નહિ અને પીછો કરીને જંગલ પાસેથી ગાડીને પકડી પાડતા ગાડીમાંથી 15 ગાય અને 07 વાછરડાને મુકત કરાવ્યા હતા. આરોપીની જુલાઈ -2020માં ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે આ કેસમાં આરોપી સામે પ્રાણીઓને કતલખાને લઈ જવાની શંકાને આધારે તેની સામે પ્રાણી અત્યાર અધિનિયમ હેઠળ વિધિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં સરકારી વકીલ તરફે રજુઆત કરવામાં આવી હતી કે આરોપીની અન્ય કેસમાં ધરપકડ કર્યા બાદ ટ્રાન્સફર વોરન્ટના આધારે આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટમાં એવી પણ રજુઆત કરવામાં આવી હતી કે આરોપી ગુનાહિત આજ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જોકે આરોપીના વકીલે જણાવ્યું હતું કે આરોપી પ્રાણીઓની ખરીદ – વેચાણનું કામ કરે છે. આરોપીએ અરજી પરત ખેંચી લેતા કોર્ટે તેમને નવી ફ્રેશ અરજી દાખલ કરવાની છૂટ આપી હતી

(12:45 am IST)