Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનેશન આપવાની કામગીરી શરૂ: 100 લોકોને ડોઝ અપાશે

સિવિલના સુપ્રિટેન્ટેન્ડ જે.પી મોદી, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સહીત 11 ડૉક્ટરો રસી લેશે.

અમદાવાદમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. આજે 100 લોકોને વેક્સિન આપવામાં આવશે.સિવિલના ટ્રોમાં વોર્ડમાં સવારથી જ સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી વેક્સિનને ઓનલાઈન શરૂઆત કર્યા બાદ વેક્સિન શરૂ થશે. હાલ પેરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને વેક્સિન આપવામાં આવશે. ત્યારબાદ અન્ય લોકો માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ટેન્ડ જે.પી મોદી, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સહીત 11 ડૉક્ટરો રસી લેશે. તે ઉપરાંત હેલ્થ વર્કરોને પણ વેક્સિન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં વેક્સિન આપ્યા બાદ તેમને અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. હાલ પેરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને વેકસીન આપવામાં આવશે .ત્યાર બાદ અન્ય લોકો માટેની વ્યવસ્યા કરવામાં આવશે.

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશે કહ્યું હતું કે શહેરમાં 20 હોસ્પિટલમાં વેક્સિનેશન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે જેમાં એક સેન્ટરમાં વધુમાં વધુ 100 જેટલા આરોગ્યકર્મીઓને વેક્સિન આપવામા આવશે. જે પણ સ્વસ્થ અને નિરોગી હોય એવા તમામ આરોગ્યકર્મીને વેક્સિનેશન આપવામા આવનાર છે અને તેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. જો લાભાર્થીને વેક્સિનેશન બાદ કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળે તો તેઓને તુરંત સારવાર મળી રહે તે માટે 104 અથવા 14499 નંબર પર કોલ કરી જાણ કરશે.

(12:56 pm IST)