Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

સુરતમાં ગુનાખોરીએ માઝા મૂકી : આધેડનો મૃતદેહ બ્રિજ નીચેથી મળી આવ્યો

સુરત, તા. ૧પ :  શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે હાલમાં જ એક શંકાસ્પદ લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

સુરતના વરાછા વિસ્તારમાં આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ આધેડની લાશ કોઈએ ખૂન કરીને ફેંકી દીધી છે? અકસ્માત થયો છે? કોઈ મેડિકલ કન્ડિશનન એટલે કે, હાર્ટએટેક કે એવી અવસ્થાને કારણે મોત થયું છે? કે પછી આધેડે ખુદ મોત વહાલું કર્યુ છે તે અંગે ખુદ પોલીસ અવઢવમાં છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના વરાછામાં બ્રિજ નીચે  મનસુખ દુધેરી નામના શખ્સની લાશ મળી આવી છે. આ આધેડના મોતનું કારણ હજી સુધી અકબંધ છે. મનસુખ દુધેરી નાના વરાછા હળપતિ વાસમાં  રહેતા હોવાનું સામે આવ્યું. વરાછા પોલીસે ઘટનાસ્થળ પર જઈ વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં આ રીતે ખૂન,હત્યા, મારપીટના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. તેમાંય અમૂક ગેંગની દાદાગીરી, મનમાનીઓ પણ સામે આવતી હોય છે વળી ભૂ-માફિયા અને લેન્ડ ગ્રેબિંગના કેસ પણ સુરતમાં વધી રહ્યા છે ત્યારે આ લાશ કઈ ઘટના સથે સંકળાયેલી છે તે અંગે ચર્ચાઓ થઈ રહી છે.

(4:00 pm IST)