Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

વડોદરાના વારસીયામાં જુના ઝઘડાની અદાવતમાં બે પરિવારો બાખડ્યા:સામસામે હુમલો થતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના વારસિયામાં જુના ઝઘડાની અદાવતે બે પરિવાર વચ્ચે ઝઘડો થતા મારામારી થઇ હતી. બંન્ને પક્ષે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. 

મકરપુરા માણેજા ક્રોસિંગ પાસે પંચમપાર્ક સોસાયટીમાં રહેતો હરજાજનસીંગ ક્રીપાલસીંગ  દુધાણી  ઉતરાયણની  સાંજે વારસિયા  ઝુલેલાલ મંદિર પાસે લારી પર  નાસ્તો કરવા માટે ઉભો હતો. તે સમયે વારસિયામાં રહેતો અર્જુનસીંગ દર્શનસીંગ સીકલીગર, અને તેના પિતા દર્શનસીંગ  લારી પર આવ્યા હતા.  જુના ઝઘડાની અદાવત રાખી પિતા-પુત્રએ હરજાજન અને  હરભજનના ભાઇ રવિને માર માર્યો હતો. 

જ્યારે સામાપક્ષે અર્જુનસીંગે હરજાજન અને તેના ભાઇ રવિ વિરૃધ્ધ ફરિયાદ નોધાવી જણાવ્યુ છે કે તું  મારા વિસ્તારમાંથી ભૂંડ કેમ પકડી જાય છે તેવુ કહીને બંન્ને ભાઇઓએ મારા અને મારા પિતાને માર માર્યો હતો. વારસિયા પોલીસે બંન્ને  પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(6:00 pm IST)