Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

સાબરકાંઠામાં ઉતરાયણના દિવસે કાતિલ દોરીથી 86 પક્ષીઓ ઘાયલ થતા જીવદયા પ્રેમીઓએ મદદ કરી

અમદાવાદ:સાબરકાંઠામાં ઉત્તરાયણના દિવસે કાતિલ દોરીથી ૮૬ પક્ષીઓ ઘાયલ થયા હતાં. તેમાં ૭૭ કબૂતર, ચકલી, ટીંટોડી, સહિતના પક્ષીઓનો સમાવેશ થયો હતો. ઘાયલ પક્ષીઓને જીવદયા પ્રેમીઓએ સારવાર આપી હતી.

જિલ્લામાં ઉત્તરાયણના દિવસે ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ લદાયો હોવા છતાં બેરોક-ટોક ઉપયોગ થયો હતો. આ ચાઈનીઝ દોરીથી પક્ષીઓને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં ૭૭ કબૂતર અને પોપટ, કાંકણ સહિતના પક્ષીઓને ઇજા થઇ હતી.

આ ઘાયલ પક્ષીઓને કરૂણા અભિયાન અંતર્ગત કાર્યકરોએ તાત્કાલિક સારવાર આપી હતી. આ ઉપરાંત ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થવાના બનાવો ઘટયા છે.

(6:03 pm IST)