Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ઈશ્વરને પ્રાર્થના કરૂ છું કે વિજયભાઈ ઝડપભેર સ્વસ્થ થઈ જનકલ્યાણના કાર્યોમાં પુનઃ સક્રિય થઈ જાય : અમિતભાઈ શાહ

RTPCR નેગેટીવ આવે પછી રજા અપાશે : સી.આર. પાટીલ

નવી દિલ્હી : મુખ્યમંત્રી વિજય રૂપાણી સંક્રમિત થવા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું છે કે, 'ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpજી કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં. હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પુનઃ જનકલ્યાણના કામોમાં સક્રિય થાય.'

ગુજરાત ભાજપના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે ટ્વીટ કરી જણાવ્યુ છે કે રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ વિજયભાઈને હોસ્પિટલમાંથી રજા અપાશે.

વિજયભાઈને સાત દિવસ સુધી યુ.એન.મહેતા હૉસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેશે. આ દરમિયાન તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવશે તે બાદમાં જ તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જે બાદમાં તેઓ પોતાના ઘરે પણ કવોરન્ટીન રહેશે. આ દરમિયાન અન્ય વ્યવસ્થા બરાબર રીતે ચાલે તે માટે તેઓ ટેલિફોનના માધ્યમથી સરકારના નેતાઓ અને અધિકારીઓના સંપર્કમાં રહેશે.

(4:00 pm IST)