Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ઠાસરા તાલુકાના બાધરપુરા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક શખ્સનું કમકમાટીભર્યું મોત

ઠાસરા:તાલુકાના બાધરપુરાથી અંબાવ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.એસ.ટી અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનુ મૃત્યુ નિપજયુ છે.આ બનાવ અંગે ઠાસરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઢુંઢી ગામના મહેશભાઇ વજેસિંહ પરમાર ઉં.૨૮ અને રોહીતભાઇ પરમાર ઢુંઢી થી ઠાસરા જઇ રહ્યા હતા. બાધરપુરાથી અંબાવ ગામ પાસેથી પસાર થતા હતા તે સમયે મોટર સાયકલ ચાલક મહેશભાઇ આગળ જતી બસની ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એસ.ટી બસની ટક્કર વાગતા મોટર સાયકલ પર સવાર બંન વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી.વળી મહેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોટતા સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ.જ્યારે રોહિતભાઇને શરીરે ઇજાઓ પહોચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઠાસરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:03 pm IST)