Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વીરપુર તાલુકાના ખાંટા ગામે રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

વિરપુર: તાલુકાના ખાંટા ગામે બે રહેઠાણ મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં અંતે બન્ને મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. આગમાં કોઈ જાનહાની થઈ હોવાનું નોંધાયું નથી, પણ હજારો રૂપિયાના ઘાસચારા બળીને ખાખ થઈ ગયાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના ૧૨ કલાક પછી પણ તંત્રને આગ લાગવાનું ચોક્કસ કારણ મળ્યું નથી.

સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખાંટા ગામના લાડુભાઈ ફુલાભાઈ પગી અને  કૈલાસબેન લાડુભાઈ પગી બન્નેના રહેઠાંક મકાનોમાંથી અચાનક ધુમાડો છૂટવા લાગ્યો હતો. રહીશોને તરત આગ લાગી હોવાની ખબર પડી જતાં વિસ્તારમાં અફડાતફડી ફેલાઈ હતી.  આસપાસના લોકો ભેગા થઈ આગ ઓલવવામાં પરોવાઈ ગયા હતા. ખૂબ પ્રયત્નોને અંતે આગ કાબૂમાં આવી હતી. મકાનમાં રહેનારાઓમાંથી કોઈ આગની ઝપેટમાં આવ્યું હોવાનું જાણવા નથી મળ્યું,પણ પશુઓ માટેનો ઘાસચારો અને અનાજ સંપૂર્ણપણે બળી ગયા હતા. બન્ને મકાન પણ આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયાં હતાં.

(6:04 pm IST)