Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સુરતમાં છુટાછેડા બાદ એકવાયા જીવનથી કંટાળી પ‌ત્‍નીએ આપઘાતનો માર્ગ અપનાવ્‍યો

૧પ વર્ષના લગ્‍નજીવન બાદ છુટાછેડા થયેલ માત્ર આઠ જ દિવસના છુટા છેડા બાદ પગલુ ભરતા ચકચાર

સુરત : સમાજમાં છેલ્‍લા કેટલાક સમયથી આર્થિક અસમાનતાની સાથે લોકોની શહનશકિત ઘટી જતા આપઘાતના બનાવોમાં સમાજમાં કેટલાક સમયથી ખુબ જ વધારો જોવા મળે છે. જે ચિંતા જનક જણાવાઇ રહ્યો છે.

રાજયમાં આપઘાતના કિસ્સાઓના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે, લાબા સમય બાદ લગ્ન જીવન સારી રીતે વિતાવ્યા બાદ અચાનક છુટાછેડા થઈ જતા લોકો આપઘાત કરી લેતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સુરત ભેસ્તાનમાં રહેતી અને પતિ સાથે છૂટાછેડા લઈ એકલવાયું જીવન ગુજરાતી એક મહિલાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી મુજબ મહિલાના 8 દિવસ પહેલાં જ છૂટાછેડા થયા હતા.

સુરતના ભેસ્તાનમાં આવેલ શ્રી ક્રિષ્ના એવન્યુમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ સાથે આઠ દિવસ પહેલા જ છુટાછેડા લીધા હતા. છુટાછેડા લીધા બાદ પત્નિએ પોતાના ફલેટમાં જ ફાંસોખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ આસપાસના લોકોમાં થતા ભારે ચકચાર પણ જોવા મળી છે. મૃતક મહિલાએ ફોન ન ઉપાડતા પરિવારજનોમાં ચિંતા જોવા મળી હતી અને તેઓ તેના ઘરે ગયા હતા. ઘરનો દરવાજો ખોલતા જ મહિલાની લટકતી લાસ જોવા મળી હતી. જેથી તેઓએ તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાસની પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:47 pm IST)