Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

મોદી સરકારને ૭ વર્ષ પૂરા થતા નરહરિ અમીન પ્રેરિત સેવાયજ્ઞ

રાજકોટ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણમાં કેન્દ્ર સરકારને ૭ વર્ષ પૂરા થતા અમદાવાદમાં રાજ્યસભાના સભ્ય નરહરિ અમીનની હાજરીમાં તેમના સહયોગથી સેવાયજ્ઞ યોજાયેલ. બહેરામપુરા વોર્ડમાં ૫૦૦ પરિવારોને જીવન જરૂરી સામગ્રી વિતરણ કરાયેલ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, પ્રદેશ મંત્રી મહેશ કસવાલા, ખજાનચી ધર્મેન્દ્ર શાહ, પૂર્વ મંત્રી ગિરીશ પરમાર, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, પ્રભારી જયશ્રીબેન પટેલ હાજર રહ્યા હતા.

(10:13 am IST)