Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

સગીરા ઉપરના દુષ્‍કર્મના ગુનામાંપકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૧૬: દુષ્‍કર્મના ગુન્‍હામાં આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ૭-પ-રરના રોજ થોરાળા પોલીસ સ્‍ટેશનમાં સંતકબીર રોડ વિસ્‍તારમાંથી સગીરાને ઉપાડી જઇ દુષ્‍કર્મનો ગુન્‍હો કરનાર આરોપી અનીલ ઇશ્‍વરભાઇ પનારા વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધાયેલ છે તે ગુન્‍હામાં પોલીસે આરોપી અનીલ પનારાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

જેલમાંથી આરોપીએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્‍હો છે. આવા આરોપીને જામીન આપવા જોઇએ નહિં તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી જે. ડી. સુથારે જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:44 pm IST)