Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

નર્મદા : શોભાયાત્રા પર થયેલો પથ્થરમારો તેમજ નુપુર શર્માનાં નિવેદન અંગે VHP, બજરંગ દળનું કલેકટરને આવેદન

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દેશમાં રામનવી તહેવાર નીમીત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્થરમારો તેમજ હિંસક હુમલા કરવામાં આવેલ હોય જે અનૈતીક ,ધર્મવિરોધી કૃત્યને વિશ્વ હિન્દુ પરીષદ નર્મદા જીલ્લો સખત શબ્દોમાં વખોડી કાઢે છે.આવા કૃત્ય થયેલ હોવા છતાં હિન્દુ સમાજ દ્વારા ધીરજ રાખવામાં આવી હોય જેથી બીજા કોઇ અણબનાવ બનેલ ન હોય અને નુપુર શર્મા દ્વારા આપવામાં આવેલ નિવેદન વિરૂધ્ધ દેશભરમાં વિધર્મીઓ દ્વારા રેલી તેમજ હિંસાઓ આચરવામાં આવેલ હોય જે બંધારણીય હક્કો વિરૂધ્ધનુ હોય જેને પણ વિશ્વ હિન્દુ પરીષદ , નર્મદા જીલ્લો સખત શબ્દોમાં વખોડી તેની આલોચના કરે છે.નુપુર શર્મના નિવેદન પર વિધર્મીઓ દ્વારા અનેક કાર્યકર્તાઓ તેમજ આગેવાનો પર હુમલા તેમજ ધમકીઓ આપવામાં આવી હોય જે હુમલા તેમજ ધમકીઓ ખોટી રીતે આપવામાં આવી હોવાથી આવા કૃત્યનુ આચરણ ન થાય તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી .

(10:15 pm IST)