Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રથમ વાર્ષિક અવિસ્મરણીય સ્મૃતિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ સંતોએ ભક્તિ ભાવથી કરી કેળાંની કલાત્મક સજાવટ.

શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તારીખ પ્રમાણે ગયા વર્ષે ૧૬-૭-૨૦૨૦ ના દિને મનુષ્ય લીલા સંકેલી હતી. આજે એક વર્ષ પૂર્ણ થતાં તેઓશ્રીની અવિસ્મરણીય સ્મૃતિમાં તેઓશ્રીના અનુગામી આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની પ્રેરણા - માર્ગદર્શન સહ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાના સમક્ષ સંતોએ ભક્તિ ભાવથી કેળાંની કલાત્મક સજાવટ કરી ધરાવ્યા હતાં. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સંધ્યા આરતી ઉતારી હતી. તેનાં ઓનલાઇન દર્શન કરીને દેશ-વિદેશના સૌ ભકતો તથા ભાવિકો પણ પ્રસન્ન થઈ ગયા હતા.

(8:16 pm IST)