Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

આઝાદીનો અમૃતકાળ ઉપલબ્‍ધીઓનો સમયઃ સી.આર.પાટીલ

મહેસાણા તા. ૧૬: મહેસાણા જીલ્લાના વિજાપુરમાં સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલની ઉપસ્‍થિતિમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં બેન્‍ડની સુરાવલી વચ્‍ચે વંદે માતરમ અને ભારત માતાના જય ઘોષ સાથે મોટી સંખ્‍યામાં લોકો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ અધ્‍યક્ષ પાટીલે જણાવેલ કે, આઝાદીનો અમૃત કાળ પોતાની ઉપલબ્‍ધીઓનો સમય છે. આ ભારતના મહત્‍વ અને શકિતને દર્શાવે છે. વિજાપુરના ધારાસભ્‍ય રમણભાઇ પટેલે જણાવેલ કે તિરંગો આપણી રાષ્‍ટ્રીય ધરોહર છે. આઝાદીનો અમૃત કાળ દેશની પ્રગતિને સુચિત કરે છે. આ અમૃત કાળ દેશના સ્‍વતંત્રતા સેનાનીઓને યાદ કરવાનું પર્વ છે. આ તકે મહેસાણાથી સાંસદ શારદાબેન પટેલ, પૂર્વ ગૃહ રાજય મંત્રી રજનીભાઇ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

 

(3:36 pm IST)