Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

અમદાવાદ સહીત નગરોમાં થાક ખાતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 425 નવા કેસ નોંધાયા:વધુ 663 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ :મૃત્યુઆંક 10,990 થયો : કુલ 12.51.694 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 72.306 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 3480 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 425 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 663 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.51.694 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે,અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.990 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.86 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 72.306 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12.00.82.411 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 3480 એક્ટિવ કેસ છે. જેમાંથી 20 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3460 દર્દીઓ સ્ટેબલ છે.  .

    રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 425 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 145 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 47 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 43 કેસ,સુરત કોર્પોરેશનમાં 15 કેસ, સુરતમાં 14 કેસ,મહેસાણામાં 13 કેસ,કચ્છ અને વલસાડમાં 12 -12 કેસ, ગાંધીનગરમાં 11 કેસ, ગાંધીનગર કોર્પોરેશન અને નવસારીમાં 10-10 કેસ,જામનગર કોર્પોરેશનમાં 9 કેસ, રાજકોટ અને વડોદરામાં 8-8 કેસ,પોરબંદરમાં 7 કેસ ,પાટણમાં 6 કેસ, અમદાવાદ,અને બનાસકાંઠામાં 5-5 કેસ,ભરૂચ,સુરેન્દ્રનગર અને તાપીમાં 4-4 કેસ,પંચમહાલ અને સાબરકાંઠામાં 3-3 કેસ,આણંદ ,અરવલ્લી ,ભાવનગર કોર્પોરેશન,ખેડા અને મોરબીમાં 2-2 કેસ, ગીર સોમનાથ , જામનગર અને જૂનાગઢમાં 1-1 કેસ નોંધાયો છે

(7:23 pm IST)