Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

વિરમગામના જખવાડા ખાતે નાગપંચમીએ મેળો ભરાયો : શ્રી નાગદેવતા મંદિરે ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ તાલુકાના જખવાડા ખાતે શ્રી નાગદેવતાનું મંદિર આવેલું છે. નાગ પંચમીના દિવસે અનેક ભક્તોએ નાગદેવતાના દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત નાગ પંચમી એ મેળા નો અનેક લોકોએ આનંદ માણ્યો હતો. મેળામાં આવેલા ભાવિક ભક્તોને ફરાળ રૂપી પ્રસાદ નવઘણભાઈ ભરવાડ તરફથી આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત બે વર્ષ વૈશ્વિક કોરોના મહામારીને કારણે નાગ પંચમી એ પરંપરાગત મેળો ભરાયો ન હતો અને આ વર્ષે મેળો ભરાતા લોકોએ ભરપુર આનંદ માણ્યો હતો.

 

(7:51 pm IST)