Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

16 ઓગસ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતા પ્રવાસીઓનો વહીવટી સંકુલ કચેરી ખાતે હોબાળો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર ખાતે વહીવટી સંકુલ કચેરીએ પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો.

 જાણવા મળ્યા મુજબ 15 મી ઓગસ્ટ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ રખાયું હતું તથા 16 ઓગસ્ટ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ને બંધ રાખવામાં આવ્યું હતું જેને કારણે દૂર દૂરથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ 16મી ઓગસ્ટના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ઉમટી પડ્યા હતા પરંતુ તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવા ન દેવામાં આવતા આ તમામ પ્રવાસીઓ કેવડિયા એકતાનગર વહીવટી સંકુલ કચેરી ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.
આ મામલે પ્રવાસીઓએ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો તથા ફોન પણ લગાવ્યો હતો પરંતુ અધિકારી તરફથી તેમને કોઈ પ્રત્યુતર આપવામાં આવ્યો ન હતો જેને લઈને પ્રવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારો તેમજ રાજ્ય બહારથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે આવ્યા હતા પરંતુ તેઓ કેવડિયા એકતાનગર ખાતે આવી અટવાયા હતા .
જોકે ડેમ સત્તાધીશો દ્વારા અગાઉથી જ જાહેરાત કરાઈ હતી કે 15 ઓગસ્ટે સ્ટેચ્યુ ખુલ્લું રહેશે અને 16 ઓગસ્ટે બંધ રહેશે છતાં સ્ટેચ્યુ જોવા ઉતાવળા બનેલા કેટલાક પ્રવાસીઓ રજા જાહેર કરવા છતાં ત્યાં દોડી આવતા વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો

(11:20 pm IST)