Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

અમદાવાદ રેલવે સ્ટેશને ટ્રેનમાંથી આવતાં મુસાફરોમાં વધુ 9 પોઝીટીવ કેસ મળ્યા

સતત નવમા દિવસે ટેસ્ટિંગ ચાલુ ; આજે 1628 મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું : સૌથી વધુ રાજધાની એક્સપ્રેસમાંથી 9 પોઝિટિવ કેસ નીકળ્યા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા સતત નવમા દિવસે  દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન  મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટીંગ કરાયું હતું શહેરમાં કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યાં છે શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ છે

આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.ચાલુ રાખ્યું હતું. આજના દિવસે 1628 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 15 કેસો પોઝિટિવ મળી આવ્યા હતા. જેમા સૌથી રાજધાની એક્સપ્રેસમાં આવેલા 9 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. તબક્કાવાર ટ્રેનમાં આવતાં મુસાફરોમાંથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી. કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 754 મુસાફરોનું  ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 9 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં) આવેલા 370 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 4 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા.

તે જ રીતે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 504 પ્રવાસીઓની ચકાસણીમાં 2 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે કુલ 1628 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 15 મુસાફરો કોરોના પોઝિટિવ નિકળ્યા હતા.

(10:49 pm IST)