Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

અમદાવાદથી ગુજરાત કવીન અને મુંબઇ સેન્ટ્રલ ગુજરાત એકસપ્રેસ ફરી દોડશે

અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ ગુજરાત એકસપ્રેસ અને અમદાવાદ-વલસાડ-ગુજરાત કવીન સ્પેશ્યલ ટ્રેનોને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નં. ૦૯૦૧ર અને ટ્રેન નં. ૦૯૦૧૧ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ ગુજરાત એકસપ્રેસ ટ્રેન નં. ૦૯૦૧૨ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ ગુજરાત એકસપ્રેસ ર૦ સપ્ટેમ્બરથી નવી સુચના ન મળે ત્યાં સુધી દરરોજ અમદાવાદથી સવારે ૭.૦૦ વાગ્યે ઉપડી બપોરે ૩.પપ વાગ્યે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં. ૦૯૦૧૧ મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એકસપ્રેસ ર૧ સપ્ટેમ્બરથી નવી સુચના સુધી દરરોજ સવારે પ.૪પ વાગ્યે ઉપડી બપોરે ર.૩૦ વાગ્યે અમદાવાદ પહોંચશે.

ટ્રેન નં. ૦૯૧૩૬ અમદાવાદ-વલસાડ ગુજરાત કવીન સ્પેશ્યલ ર૧ સપ્ટેમ્બરથી નવી સુચના સુધી અમદાવાદથી દરરોજ સાંજે ૬.૧૦ વાગ્યે ઉપડી રાત્રે ૧ર.૪૦ વાગ્યે વલસાડ પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં. ૦૯૧૩૫ વલસાડ-અમદાવાદ ગુજરાત કવીન સ્પેશ્યલ રર સપ્ટેમ્બરથી નવી સુચના સુધી દરરોજ વલસાડથી સવારે ૪.૦પ વાગ્યે ઉપડી સવારે ૧૦.રપ વાગ્યે અમદાવાદ પહોંચશે.

(1:10 pm IST)