Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

વિરમગામ શહેરમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાના વિવિધ રૂપ

વિરમગામના શિવ હોસ્પિટલમાં ગણપતિ બાપાને અન્નકુટ ધરાવવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :વિરમગામમાં ગણેશોત્સવના કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણનુ નિર્માણ થયું છે. અનેક લોકો દ્વારા પોતાના ઘરે પણ વિઘ્નહર્તા  ગણપતિ  બાપાની સ્થાપના કરવામાં આવી છે. વિરમગામના વિજય ચોક, ગોલવાડી દરવાજા, સુથારફળી ચોક સહિતના સ્થાનો પર વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. વિરમગામના શિવ હોસ્પિટલમાં પણ ગણપતિબાપાની સ્થાપના કરવામાં આવી છે અને બુધવારે ગણપતિબાપાને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. વિરમગામ પંથકમાં ગણપતિ બાપાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે

(1:12 pm IST)