Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કાલે અમદાવાદમાં ૭૧ બાળકોના હૃદયરોગના ફ્રી ઓપરેશનનો કેમ્પ

પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા અને સત્ય સાંઈ હોસ્પીટલ-રાજકોટના સંયુકત ઉપક્રમે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડ દ્વારા આયોજન

રાજકોટ, તા. ૧૬ :. આવતીકાલે તા. ૧૭ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મ દિન નિમિત્તે ૭૧ બાળકોના હૃદયરોગના ફ્રી ઓપરેશનના કાર્યક્રમનું આયોજન પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચો અને સત્ય સાંઈ હોસ્પીટલ રાજકોટના સંયુકત ઉપક્રમે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પીટલ પ્લોટ નં. ૨૩/બી ગામ કાસીન્દ્રા, વિશ્વકર્મા મંદિરની સામે સરખેજ-ધોળકા હાઈવે, અમદાવાદ ખાતે કરવામાં આવ્યુ હોવાનું પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડે જણાવ્યુ હતું.

(4:19 pm IST)