Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

અહેમદભાઈ સતત વેન્ટિલેટર ઉપર: તબિયતમાં સુધારો શરૂ

ડોકટરોની સઘન સારવારને સારો પ્રતિસાદ : તબીયત ધીમે ધીમે સ્થિર થઈ રહી છે તમામ મુલાકાત પર સંપૂર્ણ પ્રતિબંધ

નવી દિલ્હી : અખિલ ભારતીય કોંગ્રેસ સમીતીના કોષાધ્યક્ષ અને ગુજરાતના સાંસદ શ્રી અહમદભાઈ પટેલ ગુડગાંવની પ્રખ્યાત મેદાંત હોસ્પીટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. તેમને ICUમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે.

  મોડીરાત્રે શ્રી ગૌરવ પંડ્યાએ અકિલાને જણાવેલ કે ડોકટરોની સઘન સારવારને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમની તબીયત ધીમે ધીમે  સ્થિર થઈ રહી છે. તમામ મુલાકાત પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. હોસ્પીટલની માહીતી મુજબ તેમનું co2 અને creatinine ઝડપથી કાબુમાં આવી રહ્યું છે. છેલ્લા દોઢ મહિનાથી અહેમદભાઈ કોરોનાની સારવાર લાઇ રહ્યા છે. ૨ દિવસ પહેલા જ તેમને ફરીદાબાદથી દિલ્હી લાવવામાં આવ્યા છે.

(11:26 pm IST)