Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

રાજપીપળાના રણછોડજી મંદિર ખાતે આજે ભગવાનના અન્નકૂટના દર્શન કરતા ભકતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રણછોડજી મંદિર રાજપીપલા ખાતે ભગવાન ના અન્નકૂટના દર્શન આજે બપોરે રાખવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં કોવિડ-૧૯ ના પાલન સાથે ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ દરેક ભક્તોએ ફરજીયાત માસ્ક પેહરી મંદિરમાં પ્રવેશ મેળવી અન્નકૂટના દર્શનની લ્હાવો લીધો હતો.આજે આ અન્નકૂટ નું સમગ્ર આયોજન મંદિરના ટ્રસ્ટીઓ ગુંજનભાઈ મલાવીયા,અજિતભાઈ પરીખ, ઉરેશભાઈ પારેખ, પ્રણયભાઈ પરીખ,કૌશલ કાપડિયા સાહિનાઓ એ કર્યું હતું.

(11:37 pm IST)