Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

રાજપીપળા જીલ્લા જેલના 150 કેદીઓને અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા મીઠાઇ-નાસ્તાનું વિતરણ કરાયું


(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ની અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે જીતનગર ખાતે આવેલી રાજપીપળા જિલ્લા જેલના 150 કેદી ભાઈ બહેનોને મીઠાઈ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 16 કિલો બુંદી અને 16 કિલો વેફર નું વિતરણ કરાયું હતું.અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન તરફથી અંકુર ઋષિ, કમલેશ ચૌહાણ,નમિતા બેન મકવાણા,જીગરભાઈ રોય અને અજીત પરીખ એ કેદીઓ સુધી આ સેવા પુરી પાડી હતી.સાથે જેલર લાલચંદભાઈ હાજર રહી સંસ્થાનો આ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

(11:39 pm IST)