Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

વડોદરાની બજારમાં દિવાળીની ભીડનો લાભ લઇ તસ્કરો જવેલરી શોપમાંથી 22 કિલો દાગીના લઇ રફુચક્કર

વડોદરા: શહેરની કડક બજારમાં આવેલી એસ.કુમાર જ્વેલર્સ નામની જ્વેલરીશોપમાંથી ચાંદીના ૨૨ કિલો  વજનના દાગીના તથા સોનાના ૨૨ ગ્રામના દાગીના શટર તોડીને ચોરટોળકી લઇ ગઇ હતી. જે અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કડકબજાર લલ્લુભાઇની વીસીમાં રહેતાં સુરેશ જગદીશભાઇ અગ્રવાલની કડકબજારમાં શ્રીરંગ કોમ્પલેક્ષમાં એસ. કુમાર નામની જ્વેલરી શોપ છે. ગત ૧૨મી તારીખે સવારે નિત્યક્રમ પ્રમાણે તેમને દુકાન ખોલી હતી અને રાત્રે સાડાઆઠ વાગ્યે દુકાન બંધ કરી હતી. ૧૨મી તારીખે રાત્રે ચોરટોળકીએ જ્વેલરીશોપને નિશાન બનાવી હતી. શટર તોડીને ચોર ટોળકી દુકાનમાંથી ચાંદીના છડા, મૂર્તિઓ, સિક્કા, વીંટી, મંગળસૂત્ર, ચેન, બ્રસલેટ નેકલેસ, વાસણો મળીનેે ૨૨ કિલો વજનની ચાંદી કિંમત રૃપિયા .૮૦ લાખની લઇ ગયા હતાં. જ્યારે સોનાની બુટ્ટી, કાનવેલ મળીને ૨૨ ગ્રામનું સોનું કિંમત રૃા.૮૦ હજારનું પણ ચોર ટોળકી લઇ ગઇ હતી.

(4:57 pm IST)