Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

રાજ્યમાં કોરોનાના નવા 926 કેસ નોંધાયા : વધુ 1040 દર્દીઓ સ્વસ્થ થયા:કુલ કેસનો આંક 1,89,236 થયો :કુલ 1,72,972 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 5 લોકોના મોત : મૃત્યુઆંક 3808 થયો

આજે સૌથી વધુ અમદાવાદમાં 225 કેસ ,સુરતમાં 141 કેસ, રાજકોટમાં 127 કેસ,વડોદરામાં 125 કેસ, ગાંધીનગરમાં 51 કેસ,મહેસાણામાં 45 કેસ, જામનગરમાં 24 કેસ, કચ્છમાં 20 કેસ,સાબરકાંઠામાં 19 કેસ,પાટણમાં 18 કેસ,બનાસકાંઠા અને દાહોદમાં 16-16 કેસ,ભાવનગર અને જૂનાગઢમાં 12-12 કેસ, નોંધાયા :રાજ્યમાં હાલ 12,456 એક્ટિવ કેસ

અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડતો હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં કોરોનાંથી વધુ  1040 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 926 નવા  કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3808 પર પહોંચ્યો છે

  . રાજ્યમાં હાલ 12,456 એક્ટિવ કેસ છે, જ્યારે 1,72,972 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 62 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,394 લોકો  સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,89,236 સુધી પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, , રાજકોટ કોર્પોરેશનમાં 1,સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 5 લોકોના  મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા  926 કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 225 કેસ ,સુરતમાં 141 કેસ, રાજકોટમાં 127 કેસ,વડોદરામાં  125  કેસ,  ગાંધીનગરમાં 51 કેસ,મહેસાણામાં 45 કેસ, જામનગરમાં 24 કેસ, કચ્છમાં 20 કેસ,સાબરકાંઠામાં 19 કેસ,પાટણમાં 18 કેસ,બનાસકાંઠા અને દાહોદમાં 16-16 કેસ,ભાવનગર અને જૂનાગઢમાં 12-12 કેસ, નોંધાયા છે

 આજે રાજ્યમાં  39,383  ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 68,76,665 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં રિકવરી રેઈટ 91,41 ટકા થયો છે

(7:28 pm IST)