Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

વિરમગામ સસ્તા અનાજ દુકાનદારો દ્રારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ સસ્તા અનાજ દુકાનદારો દ્રારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રમુખષવિક્રમસિંહ ઝાલા એ વિરમગામ શહેર તાલુકાનાં તમામ નાગરિકોને નવું વર્ષ ખુબ સુખદાયી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કોરોના મહામારીમાં દુકાનદારો શહીદ થયા એમનાં માનમાં બે મીનીટ મૌન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નરેશભાઇ શાહ, કિરીટસિંહ ગોહીલ, વિક્રમસિંહ ઝાલા, અખ્તરભાઇ સહીત વિરમગામ શહેર તથા તાલુકાનાં તમામ દુકાનદારોએ હાજર રહી સમુહ ભોજન પછી સ્નેહ મિલન કાર્યક્રમ પુર્ણ કરવા આવ્યો હતો.

(6:40 pm IST)