Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

હીરામણિના વરીષ્ઠ ટ્રસ્ટી ચંદ્રકાન્ત મહેતાને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ અર્પણ

રાજકોટ તા. ૧૬ : ગુજરાતી - હિન્દીના સુપ્રસિધ્ધ સાહિત્યકાર, પત્રકાર, સમાજસેવી અને હિન્દી સાહિત્ય પરિષદના અધ્યક્ષ ડો. ચંદ્રકાન્ત મહેતાને ભારતના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે ૯ નવેમ્બર ૨૦૨૧ના રોજ 'પદ્મશ્રી' એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિશ્રીએ તેમને 'પદ્મશ્રી' પ્રશસ્તિપત્ર અને મેડલ દ્વારા સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ઉપસ્થિત હતા. રાષ્ટ્રપતિશ્રીએ તથા વડાપ્રધાનશ્રીએ રૂબરૂ મળી ડો. ચંદ્રકાન્ત મહેતા, શ્રીમતિ મંજુબેન તથા પૌત્ર સિધ્ધાન્તને શુભેચ્છા પાઠવી હતી.

ડો. મહેતાએ ઉચ્ચશિક્ષણ, પત્રકારત્વ શિક્ષણ તથા સમાજ શિક્ષણમાં ઉત્તમ સેવાઓ બદલ બિરદાવ્યા હતા. ડો. મહેતાના ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીમાં ૧૮૦ જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. સંપર્ક મો.નં. ૯૮૨૪૦ ૧૫૩૮૬ અમદાવાદ.

(2:34 pm IST)