Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

ગોપાલપુરા ગામમાં આતંક મચાવનાર તોફાની કપિરાજ વન વિભાગે ગોઠવેલા પાંજરામાં કેદ થતા ગ્રામજનોને રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામમાં ઘણા દિવસથી કપિરાજનો આતંક ફેલાતા ગ્રામજનો હેરાન થઈ રહ્યા હતા અને ગામના કેટલાક ઘરોમાં કાચ તોડી તોફાન કરતા કે ધાભા ઉપર ધમાચકડી કરતા કપિરાજથી ખાસ બાળકો અને મહિલાઓમાં ભય ફેલાયો હોય ગ્રામજનોએ આ બાબતે વન વિભાગ ને જાણ કરતા વન વિભાગે કપિરાજોને કેદ કરવા પાંજરું ગોઠવતા આખરે આ તોફાની કપિરાજ પાંજરામાં કેદ થઇ જતાં ગ્રામજનોએ રાહત મેળવી હતી.વન વિભાગની ટીમે તોફાની કપિરાજને દૂર જંગલ વિસ્તારમાં મૂકી આવતા અંતે સૌએ રાહત મેળવી હતી

(10:44 pm IST)