Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

રાધનપુરમાં ચૌધરી સમાજના સત્કાર સમારંભમાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા : નેતાઓ પણ માસ્ક વિનાના

ભાજપ નેતા શંકર ચૌધરી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા:કાર્યક્રમમાં સામાજિક અંતરનો સરેઆમ ભંગ

અમદાવાદ : રાજયમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમજ સરકાર દ્વારા વારંવાર કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. જો કે આ દરમ્યાન પાટણના રાધનપુરમાં સન્માન સમારોહમાં હજારોની ભીડ ઉમટી છે. જેમાં એક સત્કાર સમારંભમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડયા હતા. જેમાં ચૌધરી સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં કોરોનાના કહેર વચ્ચે નેતાઓ જ માસ્ક વિના જોવા મળ્યા હતા. જેમાં ભાજપ નેતા શંકર ચૌધરી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં સામાજિક અંતરનો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો.

(9:46 pm IST)