Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સુરતના નાનપુરા વિસ્તારમાં ઘરમાં બાથરૂમમાંથી મૂક-બધિર યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેરના નાનપુરા વિસ્તારની શ્રી રંગ સોસાયટીના એક ઘરના બાથરૂમમાંથી ગતસાંજે મૂક-બધિર યુવક-યુવતી મૃત હાલતમાં મળ્યા હતા. પખવાડીયા અગાઉ સગાઈ બાદ યુવકના માતા-પિતા લગ્નમાં બહારગામ ગયા હોય યુવતી સાસરે રહેવા અઠવાડીયા અગાઉ આવી હતી અને ગતસાંજે યુવકની બહેન નોકરીએથી પરત ફરી ત્યારે બંને નજરે નહીં ચઢતા ઘરમાં તપાસ કરી ત્યારે બાથરૂમમાં મળ્યા હતા. બંનેનું મોત બાથરૂમમાં ગેસ ગીઝર ચાલુ હોય ગૂંગળામણથી થયું હોવાની આશંકાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો તેમજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના નાનપુરા ગાંધી સ્મૃતિ ભવનની સામે શ્રી રંગ સોસાયટી ઘર નં.15 માં રહેતી અને ખાનગી નોકરી કરતી ઋતુજા નરેશભાઈ પટેલ ગતસાંજે ચાર વાગ્યે નોકરી ઉપરથી ઘરે પરત ફરી ત્યારે ઘરમાં મૂક-બધિર ભાઈ અર્પિત મનોજભાઈ પટેલ ( ..24 ) અને તેની મૂક-બધિર મંગેતર ધૃતી જયેશભાઇ ટેલર ( ..21, રહે. ઘર નં./2, રાજનગર, કામરેજ ગામ, તા. કામરેજ, જી.સુરત ) નજરે નહીં ચઢતા તપાસ કરી તો બંને બાથરૂમમાં મૃત હાલતમાં મળ્યા હતા. અંગે ઋતુજાએ અઠવાલાઇન્સ પોલીસને જાણ કરતા તે સ્થળ ઉપર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

(5:37 pm IST)