Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

પાલનપુરના ગોડાઉનમાં સરકારી અનાજનો મોટો જથ્થો ગાયબ : ઘઉં અને ચોખાની ઘટ

ઘટતા મુદ્દામાલને લઈ પુરવઠા વિભાગ દ્વારા તપાસ

બનાસકાંઠાના પાલનપુર ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થામાં ઘટનો મામલો સામે આવ્યો છે. ઘઉં અને ચોખાના જથ્થાના ઘટ મુદ્દે તપાસ શરૂ કરાઈ છે. આશરે 6 હજાર ક્વિન્ટલ અનાજના ઘટનો ખુલાસો થય છે. જો કે, પ્રાથમિક માહિતી પ્રમાણે હિસાબ બાબતે ગણતરીમાં ભૂલ થયાની વાત છે. સમગ્ર મામલે તંત્રનું ધ્યાન ગયા બાદ હિસાબના ચોપડાઓ ઉથલાવવાનું શરૂ થઈ ગયું છે.

યારે આટલા મોટા જથ્થાની ઘટ માત્ર હિસાબની ભૂલ છે કે, હકિકતે ચોખા અને ઘઉંનો જથ્થો ગાયબ છે. તે તપાસ બાદ સામે આવશે. પાલનપુરના ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો રખાયો છે.

(11:46 pm IST)