Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો : વધુ 31 સોસાયટી અને એપાર્ટમેન્ટનો થયો ઉમેરો

મણિનગર, વસ્ત્રાલ, ભાઈપુરા, ચાંદલોડિયા અને જોધપુરના સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ

અમદાવાદ : શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં  સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે, 430 વિસ્તારમાંથી 19 વિસ્તારને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે વધુ 31 સોસાયટી અને એપાર્ટમેન્ટનો ઉમેરો થયો છે. તેની સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનો આંકડો 442 પર પહોંચ્યો છે. શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં સૌથી વધુ મણિનગર, વસ્ત્રાલ, ભાઈપુરા, ચાંદલોડિયા અને જોધપુરના સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે

(12:00 am IST)