Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રાજપીપળા જિલ્લા જેલમાં 26 કોરોના પોજેટિવ કેસો નિકળતા તમામને રાજપીપળા કોવિડ કેરમાં દાખલ

ખુદ જેલ અધિક્ષક પણ પોજેટિવ આવતા તેઓ હોમ કોરોન્ટાઇન થયા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : જીતનગર ખાતે આવેલી રાજપીપળા જિલ્લા જેલમાં 26 જેટલા કોરોના પોજેટિવ કેસો નિકળતા તેમને ત્યાં જેલ માં રાખવા યોગ્ય ન જણાતા આખરે આ તમામને રાજપીપળા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમીક અધિકારી ડો કશ્યપે જણાવ્યું હતું. હાલ આ તમામ પોજેટિવ દર્દીઓ રાજપીપળા કોવિડ કેર સેન્ટરમાં દાખલ છે જ્યારે જેલ અધિક્ષક નો રિપોર્ટ પણ પોજેટિવ આવતા તેઓ હોમ કોરોન્ટાઈન થયા હોવાનું ખુદ જેલરે જણાવ્યું હતું.

(12:11 am IST)