Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ગુજરાત રાજ્યમાં ધો.-૧૨ની પરીક્ષા લેવાશે જ :ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

વિદ્યાર્થીઓનું સ્વાસ્થય પ્રથમ પ્રાયોરિટી :ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ તારીખો જાહેર થશે

ગાંધીનગર, તા. ૧૬ : ગુજરાતમાં બોર્ડના ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓનું શું તે સવાલ વાલીઓને થયો છે. આવામા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યું કે, ધોરણ ૧૨ ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષાની તારીખો જાહેર કરાશે. વિદ્યાર્થીઓનું સ્વાસ્થય અમારા માટે પહેલી પ્રાયોરિટી છે.

રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતમાં બોર્ડના ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન  આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓનું શું તે સવાલ વાલીઓને થયો છે. આવામા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યું કે, ધોરણ ૧૨ ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષાની તારીખો જાહેર કરાશે. વિદ્યાર્થીઓનું સ્વાસ્થય અમારા માટે પહેલી પ્રાયોરિટી છે.  આજે શિક્ષણમંત્રી ચૂડાસમા વડોદરાની મુલાકાતે હતા. જ્યાં તેમણે જણાવ્યુ હતુ કે, ધો-૧૨ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે બેસીનેકોરોનાની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને અમે તારીખ જાહેર કરીશું.

(9:31 pm IST)