Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

હવામાન વિભાગ દ્વારા નવુ બુલેટિન જાહેર : 18 કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યું વાવાઝોડું

150-175 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે પવન: ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની વકી: સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં બપોર બાદ થશે વરસાદ :કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની શકયતા :પોરબંદર,અમરેલી,જૂનાગઢમાં નુકસાનની આશંકા :રેલવે અને કોમ્યુનિકેશનને થઇ થકે અસર

અમદાવાદ : રાજ્યમાં કોરોના મહામારીનાં કારણે પહેલા જ લોકો પરેશાન હતા. હવે તૌકતે વાવાઝોડાને લઇને લોકોમાં  ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તૌકતે વાવાઝોડા મુદ્દે હવે હવામાન વિભાગે નવુ બુલેટિન જાહેર કર્યુ છે.

નવા બુલેટિન મુજબ રાજ્ય તરફ 18 કિમી પ્રતિ કલાકની ઝડપે તૌકતે વાવાઝોડું આગળ વધી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, તૌકતે વાવાઝોડું વેરાવળથી 350 મીટર દૂર છે જ્યારે દીવથી 310 કિલોમીટર દૂર છે. ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે આજે સાંજ સુધીમાં તે ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાશે અને આ દરમિયાન ભારે વરસાદ અને ભારે પવનની સંભાવના છે. આજે ગુજરાતનાં પોરબંદર-મહુવાનાં દરિયાકાંઠે ટકરાશે. આવતી કાલે મંગળવારે 150-175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. જેને લઇને ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની વકી છે.

 તૌકતે વાવાઝોડાનાં કારણે ગઇ કાલે એટલે કે રવિવારનાં રોજ રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જો કે હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં બપોર બાદ વરસાદ આવશે. રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં તૌકતે વાવાઝોડાનાં કારણે ભારેથી અતિ ભારે વરસાદની વકી છે. વળી આ કારણે કેલ્વે અને કોમ્યુનિકેશનને પણ અસર થઇ શકે છે.

(10:02 am IST)