Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડાની સંભાવનાને પગલે બે દિવસ રાજ્યમાં વેકિસનેશન સ્થગિત

અનિવાર્યતા વિના ઘરની બહાર નહીં નીકળવા નાગરિકોને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો અનુરોધ

અમદાવાદ,તા. ૧૭: તૌકતે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાત રાજયમાં તા. ૧૭ અને ૧૮ મે, ૨૦૨૧ સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેકિસનેશનની કામગીરી સ્થગિત રહેશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાવાઝોડાની સંભાવનાને પગલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. એટલે આ બે દિવસો દરમિયાન તમામ જૂથમાં વેકિસનેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાગરિકોને આ બે દિવસો દરમ્યાન પોતાના ઘરથી બહાર નહીં નીકળવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજયમાં વાવાઝોડા સાથે અતિવૃષ્ટિની પણ સંભાવના છે. આવી પરિસ્થિતિમાં તમામ લોકોની સલામતી ખૂબ જરૂરી છે. નાગરિકો પોતપોતાના ઘરમાં રહે, માત્રને માત્ર ફરજ પર હોય એવા લોકો જ ઘરની બહાર નીકળે. બાકીના લોકો ઘરમાં જ રહી અને પોતાની સલામતી જાળવે એ જરૂરી છે.

(10:31 am IST)