Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડાની સંભાવનાને પગલે વહીવટી તંત્ર ખડે પગે : સામાજિક અને સેવાકીય સંગઠનોને સહયોગ માટે આગળ આવવા વિજયભાઇ રૂપાણીની અપીલ

અમદાવાદ,તા.૧૭:  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના સામાજિક અને સેવાકીય સંગઠનોને વહીવટીતંત્રને સહયોગ આપવા આગળ આવવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં અનેક સેવાભાવી સંસ્થાઓએ હંમેશા રાજય સરકાર અને વહીવટીતંત્રને સહયોગ આપ્યો છે. વાવાઝોડાની સંભાવનાને પગલે વહીવટી તંત્ર ખડે પગે છે ત્યારે જો જરૂર પડે તો સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ જવા તૈયાર રહે.

મુખ્યમંત્રીઙ્ગ વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના શ્રેષ્ઠીઓ અને સેવાકીય સંસ્થાઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, જે તે જિલ્લાના કલેકટરના સંકલનમાં રહીને જયાં જરૂર જણાય ત્યાં મદદરૂપ થવા આગળ આવો.

(11:50 am IST)