Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

પૂ. પૂ. શ્રી અભય રત્નવિજયજી મ.સા.ના ૧૦૦૮ અઠ્ઠમ તપનું ર૪ જુનના રોજ પારણું

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ૧૭: અમદાવાદ સુરીલ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ દ્વારા રૂણી તીર્થોધ્ધારક પ. પૂ. આ. વિજય વિનયચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય તેમજ વૈરાગ્ય દેશના દક્ષ પ. પૂ. આ. ભ. શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી પ.પૂ. શ્રી અભય રત્નવિજયજી મ.સા.ના આજ્ઞાવર્તી પ. પૂ. શ્રી અભય રત્નવિજયજી મ.સા.ના ૧૦૦૮ અઠ્ઠમ તપ (૩૦ર૪ ઉપવાસ) ના પારણા તા. ર૪-૬ના રોજ થનાર છે. પૂ. શ્રી હાલ ગોદાવરી સંઘમાં બીરાજમાન છે.

પારણા ઉત્સવમાં પ. પૂ. વૈરાગ્યદેશના દક્ષ આ.ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ અનેક શ્રમણ-શ્રમણી નિશ્રા પ્રદાન કરશે. પૂ. શ્રીની ઇચ્છાનુસાર અંતિમ ૧૦૦૮ અઠ્ઠમના રોજ દેશ-વિદેશમાંથી સર્વે આરાધકોને સામુહિક અઠ્ઠમ અથવા ત્રણ-આયંબિલમાં જોડવા પ્રેરણા આપવામાં આવી છે. તેમ ટ્રસ્ટના સુધીરભાઇ શાહની યાદીમાં જણાવાયું છે.

(4:27 pm IST)