Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પત્નીએ નોનવેજ બનાવવાની ના કહેતા પતિએ મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મુકતા ચકચાર

અમદાવાદ : વેજલપુર વિસ્તારમાં પત્નીએ નોનવેજ બનાવવાની ના પતિએ મારઝૂડ કરીને પત્નીને કાઢી મૂકી હતી. આ ઘટના અંગે વેજલપુર પોલીેસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે  વેજલપુરમાં આરોગ્ય કેન્દ્ર પાસે વડવાળા નિવાસ ફ્લેટમાં રહેતા ધારાબહેન દિપકભાઇ પટેલ (ઉ.વ.28)એ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ દિપકભાઇ કનુંભાઇ પટેલ સામે ગુનો નોધાવ્યો છે કે  મહિલાના પાંચ વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ નાની બાબતમાં તકરાર કરીને પતિ મારઝૂડ કરતા હતા.

સાોસાયટીમાં ઘરે નોનવેજ બનાવવા મનાઇ ફરમાવવામાં આવી હતી તેમ છતાં પતિ છેલ્લા ત્રણ દિવસથી નોનવેજ બનાવવા જી દ કરતા હતા, ફરિયાદી આજીજી કરતા હતા કે ઘરે નોનવેજ બનાવીશું તું મકાન ખાલી કરવું પડશે .

ત્યારે પતિએ કહ્યુું કે એ તારે જોવાનું નથી તેમ કહીને ગડદાપાટુનો માર માર્યો હતો જેને લઇને ફરિયાદી પોતાની માતાના ઘરે જતા હતા, આજે સવારે પરત આવતાની સાથે જ  તું કેમ પાછી આવી તેમ કહીને તકરાર કરી હતી અને મારઝૂડ કરતાં મહિલાએ કંટાળીને વેજલપુર પોેલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:25 pm IST)