Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

નર્મદા જિલ્લામાં સોમવારે ૨૫ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૯૦૨ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં રામબાગ સોસાયટી ૦૧, પાયગા પોલીસ લાઈન ૦૧, રેલ્વ ફાટક ૦૧ તથા નાદોદ તાલુકામાં વરખડ ૦૧, નિકોલી ૦૧, વડીયા ૦૧, વાવડી ૦૧, ખુટાઆંબા ૦૧, નવાપરા ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં બોરીયા ૦૧, મોટા આંબા ૦૧, નવા વાઘપુરા ૦૧, ગડકોઈ ૦૧, કેવડીયા ૦૧, ઝરીયા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં સાહેબપુરા ૦૧, તલાવપુરા ૦૧, સીરા ૦૧, વાઘેલી ૦૧, મોરિયા ૦૧, રોજનાર ૦૧, ચુડેશ્વર ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં ડેડીયાપાડા ૦૧, કાકરપાડા ૦૧ તથા સાગબારા તાલુકામાં સાગબારા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૫ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૭૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૩૨ દર્દી દાખલ છે આજે ૩૪ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૫૭૮ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૯૦૨ પર પહોચ્યો છે.આજે વધુ ૯૮૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:13 pm IST)