Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

વિજયભાઇના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પીડ રેલ્વે પ્રોજેકટ માટે સંપૂર્ણ સહયોગની કેન્દ્રીય રેલ્વે મંત્રીની ખાત્રી

ગાંધીનગરમાં અશ્વિની વૈષ્ણવની મુખ્યમંત્રી સાથે બેડક

રાજકોટ,તા. ૧૭: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેકટમાં કેંદ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ગાંધીનગરમાં કેંદ્રીય રેલવે મંત્રીશ્રીએ ફળદાયી બેઠક યોજી હતી.

ગઈકાલે ગાંધીનગર રેલવે સ્ટેશન તેમજ અન્ય રેલવે પ્રોજેકટ ના પ્રધાનમંત્રી શ્રી ના હસ્તે થયેલા વર્ચ્યુઅલ લોકાર્પણ માં ગાંધીનગર થી પ્રત્યક્ષ સહભાગી થવા રેલવે મંત્રી ગુજરાતની મુલાકાતે હતા અને મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક યોજી હતી

રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓની આ સેમી હાઇસ્પિડ રેલ માર્ગ અમદાવાદ સાથેની કનેકિટવિટી વધુ સુવિધાપૂર્ણ, ઝડપી, માર્ગપરના ટ્રાફીકને હળવો કરનારી અને પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશનને વેગ આપનારી બનશે.

અમદાવાદ-રાજકોટ વચ્ચેનું ૨૨૫ કિમીનું અંતર આ સેમી હાઇસ્પિડ રેલની ૨૨૦ કિમી પ્રતિકલાકની ઝડપના પરિણામે બે કલાકથી પણ ઓછા સમયમાં પુરૂ થશે.ઙ્ગ

આ પ્રોજેકટના DPR વેસ્ટર્ન રેલવે દ્વારા તૈયાર કરીને ભારત સરકારના રેલ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યા છે તે પણ નિર્ણાયક આખરી તબક્કામાં છે.

આ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેકટ શરૂ થતા રાજકોટ સૌરાષ્ટ્રના લોકોઙ્ગ ઝડપથી અમદાવાદ આવીને અને ભવિષ્યમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન શરૂ થતા એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્રથી મુંબઇ જઇને પરત આવવાની સગવડ મેળવી શકશે.

મુખ્યમંત્રીશ્રીએ ફાટક મુકત ગુજરાતનો જે સંકલ્પ કર્યો છે અને રાજયના શહેરો, નગરોમાં રેલવે ફાટકને પરિણામે ટ્રાફીક સમસ્યા, ઇંધણ અને સમયનો જે વ્યય થાય છે તે દુર થાય, લોકોને ઇઝ ઓફ લિવિંગ-ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન મળે તેવો આ પ્રોજેકટનો મુળ હેતુ છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય રેલવેમંત્રી સાથે ફાટકમુકત ગુજરાત સંદર્ભે પણ ફળદાયી પરામર્શ કર્યો હતો. રેલવે મંત્રાલય દ્વારા આ હેતુસર મળી રહેલા સહયોગ માટે પણ મુખ્યમંત્રીશ્રીએ રેલ મંત્રાલયનો આભાર વ્યકત કર્યો હતોઙ્ગ

રેલવેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે પણ ગુજરાતના આ મહત્વકાંક્ષી અને મુખ્યમંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેકટ વેળાસર પૂર્ણ થાય તે માટે તેમના મંત્રાલય તરફથી જરૂરી યોગ્ય મદદ-સહાયની ખાતરી આપી હતી.

(3:50 pm IST)