Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ગરુડેશ્વર તાલુકાના ભેખડીયા ગામમાં એકજ જમીન બે વ્યક્તિઓને વેચવા પ્રયાસ કરનાર વિરુદ્ધ 6 લાખની છેતરપિંડીની ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ભેખડીયા ગામમાં ભેજાબાજ શખ્સોએ જમીન વેચવાના નામે ઠગાઈ કરતા ગરુડેશ્વર પો.સ્ટે.માં બે વિરુદ્ધ ફરીયાદ દાખલ થઈ છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઇશ્વરભાઈ ઠકોરભાઇ પટેલ( રહે.ભડકોદરા આઇ-૭ ગોકુલ સોસાયટી તા.અંકલેશ્વર જી.ભરૂચ) ની ફરીયાદ મુજબ તેમણે સહીમહંમદ ઉસ્માનમીયા ઠાકોરની ભેખડીયા ગામની સીમમાં આવેલ સર્વે.ન.૧૫ વાળી જમીનનો ૨૦૧૫માં તા.૨૫/૨/ ૨૦૧૫ ના રોજ બાનાખત કરી વેચાણ સોદો કર્યા બાદ જમીન વેચાણ નહિ આપી તેમણે અગાઉ આ જમીનનો રાજેશભાઇ ગોપાલ ભાઇ ડાખર(રહે.સુરત) સાથે એક વખતનુ બાનાખત થઇ ગયેલ હોવા છતા ઠગાઇ કરવાના ઇરાદે ફરીથી ઈશ્વરભાઈ સાથે આ જમીન નુ બાનખત કરી તેમની પાસેથી રૂ.૬,૦૦,૦૦૦ બાનાખત પેટે લીધા બાદ આ નાણા આજદિન સુઘી તેમને પરત નહિ આપી વિશ્વાસઘાત છેતરપીડી કરી તેમજ અફઝલ ઉસ્માનમીયા ઠાકોરએ ઈશ્વરભાઈ ને જાનથી મારી નાખવાની ઘમકી આપી ગુનો કરવા એકબીજાની મદદાગારી કરી હોય પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:55 pm IST)